પીએમ આવાસ યોજનામાં કયા દસ્તાવેજોની જરૂર છે અને કેવી રીતે અરજી કરવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેબિનેટ તેની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ અને શહેરી ગરીબો માટે 3 કરોડ ઘર બનાવવાની યોજનાની મંજૂરી આપી છે આ નિર્ણય નવી નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ બેઠકમાં લેવામાં આવ્યો હતો જે તેમના નિવાસ્થાન સાત લોક કલ્યાણ માર્ગ પર યોજાઇ હતી

રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહમાં શપથ લીધા ના એક દિવસ પછી નવીનીયુક્ત મંત્રીઓ વડાપ્રધાનના નિવાસ્થાને પહોંચ્યા હતા અને બેઠકમાં હાજરી આપી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જિલ્લા દસ વર્ષમાં ગરીબ પરિવારો માટે કુલ 4.21 કરોડ મકાનો પૂર્ણ કરવામાં આવ્યા છે

પીએમ આવાસ યોજના ઓછી આવક ધરાવતા લોકોને કિંમતને સારું ઘર આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે દેશમાં હાલ બે પ્રકારની પીએમ આવાસ યોજના ચાલી રહી છે શહેરી અને ગ્રામીણ હાલમાં જ પીએમ નરેન્દ્ર મોદી પીએમ આવાસ યોજના સાથે જોડાયેલી કેટલીક મોટી જાહેરાતો ત્રીજી વખત વડાપ્રધાન બનતા ની સાથે જ કરી હતી

પ્રધાનમંત્રી આવાસ યોજના શું છે?

  • પ્રધાનમંત્રી આવાસ યોજના એ ભારત સરકારનો સામાજિક કલ્યાણ માટેનો મુખ્ય કાર્યક્રમ છે
  • આ યોજનાને વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું હતું
  • વચગાળાના બજેટ 2024 માં નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે આગામી પાંચ વર્ષમાં બે કરોડથી વધુ મકાનો બનાવવામાં આવશે
  • આ યોજના હેઠળ સરકાર ત્રણ કરોડ મકાનના લક્ષ્યાંક ને હાંસલ કરવાની નજીક છે
  • પ્રધાનમંત્રી આવાસ યોજના સમાજના નબળા વર્ગો ઓછી આવક ધરાવતા લોકો શહેરી ગરીબો અને ગ્રામીણ ગરીબો ઓછી કિંમતે મકાન આપવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી છે
  • આ યોજનામાં પોષણ સંભાળે લગભગ 20 મિલિયન મકાનોનું નિર્માણ સામેલ છે
  • બજેટ 2023 માં પ્રધાનમંત્રી આવાસ યોજના માટેનો ખર્ચ 66 ટકા વધીને રૂપિયા 79,000કરોડથી વધી ગયો છે

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ કોણ લઈ શકે છે?

આર્થિક રીતે નબળા વર્ગો લાભ લઈ શકે છે

આવક જૂથ
આવક જૂથની વાર્ષિક આવક મર્યાદા 3 થી 6 લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ
મધ્યમ આવક જૂથ
મધ્યમ આવક જૂથની વાર્ષિક આવક 6 થી 18 લાખ રૂપિયા હોવી જોઈએ
EWS
ઇ ડબલ્યુ એસ માટેની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા હોવી જોઈએ

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાન બનશે

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનોમાંથી બે કરોડ મકાનનું નિર્માણ કરવામાં આવશે જ્યારે 1 કરોડ આવાસ નું નિર્માણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ કરવામાં આવશે તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના નું ફોર્મ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકાય છે

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અરજી માટેના જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • મતદાર ઓળખ પત્ર
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • જાતિ પ્રમાણપત્ર
  • EWS
  • બેંક ખાતાની પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર

પ્રધાનમંત્રી આવાસ યોજના અરજી ક્યાં કરવી?

પીએમ આવાસ યોજના ની સત્તાવાર વેબસાઈટ પર જઈને પીએમ આવાસ યોજના માટે અરજી કરી શકાય છે જો તમે પણ પીએમ આવાસ યોજના હેઠળ ઘર લેવા માંગો છો તો આજે જ તમને ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવા અને રજીસ્ટર કરવાની સંપૂર્ણ રીત જણાવશું

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • પીએમ આવાસ યોજના ની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે
  • પીએમ આવાસ યોજનાની વેબસાઈટ પર લોગી ઇન કરો
  • પછી સીટીઝન એસેસમેન્ટ વિકલ્પ પસંદ કરો અને ત્યારબાદ For Slum dwellers,Benefit under other 3 ઓપ્શન પર ટેપ કરો
  • હવે આધાર કાર્ડ ની વિગતો દાખલ કરો અને ચેક પર ક્લિક કરો
  • હવે તમને એક નવા પેજ પર રીડ ડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમારે તમામ વિગતો સાવધાની પૂર્વક ભરવાની રહેશે
  • અહીં અરજી કરતાનું નામ મોબાઈલ નંબર અન્ય વિગતો બેંક ખાતાની વિગતો જેવી વિગતો ભરવાની રહેશે
  • તમામ વિગતો ભર્યા બાદ નીચે સ્કોલ કરો અને પછી કેપચા દાખલ કરો ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરો
  • આ બધા પગલા અનુસર્યા પછી તમારી અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે

જો તમને લાગે છે કે તમે ખોટી માહિતી ભરી છે તો તમે તમારી એપ્લિકેશન અને આધાર નંબરનો ઉપયોગ કરીને ફોર્મમાં સુધારો કરી શકો છો તમે ઈચ્છો તો અરજી ફોર્મ ભર્યા બાદ પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો

હું આશા રાખું છું કે મારો આર્ટીકલ તમને ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને બીજી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment